શ્રી સોરઠીયા પ્રજાપતિ જ્ઞાતિ સેવા સમાજ-ભાલકા દ્વારા તેજસ્વી તારલાઓનો સરસ્વતી સન્માન સમારોહ યોજાયો

હિન્દ ન્યુઝ, વેરાવળ

        શ્રી સોરઠીયા પ્રજાપતિ જ્ઞાતિ સેવા સમાજ-ભાલકા દ્વારા તા.05-11-2023 ના રોજ તેજસ્વી તારલાઓનો 14 મો સરસ્વતી સન્માન સમારોહ ભાલકા મુકામે યોજાયો.

       આ સન્માન સમારોહ માં 70 જેટલા વિદ્યાર્થીઓને શિલ્ડ તથા ઇનામોથી સન્માનિત કરવામાં આવેલ અને જેમાં 2 વિશિષ્ટ સન્માન કરવામાં આવેલ. જેમાં ધોરણ 10 થી સ્નાતક, અનુસ્નાતક તથા ડિગ્રી પ્રાપ્ત કરેલા વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવેલ આ સમારોહમાં શ્રી સોરઠીયા પ્રજાપતિ જ્ઞાતિ સેવા સમાજ-ભાલકાના પ્રમુખ રમેશભાઈ જેઠવા તથા ઉપપ્રમુખ ભગાભાઇ કુકડીયા, મંત્રી પ્રવીણભાઈ ચીત્રોડા, સહમંત્રી વિનેશભાઈ જેઠવા, ખજાનચી રમેશભાઈ રાવત, સહખજાનચી નરેન્દ્રભાઈ દેવળીયા તેમજ ટ્રસ્ટી મંડળના ટ્રસ્ટી કે.એન. ચીત્રોડા, વિપુલભાઈ માવદીયા, અરજનભાઇ દેવળીયા, નાગજીભાઈ સોલંકી, રાજેશભાઈ જેઠવા, રોહીતભાઈ વડુકરએ ખુબજ જહેમત ઉઠાવેલ.

આ સન્માન સમારોહમાં તેજસ્વી તારલાઓની સાથે સાથે સમાજ શ્રેષ્ઠીઓનું સન્માન કરવામાં આવ્યું

જેમાં ડેપ્યુટી કલેક્ટર ભુમીકાબેન કોરીયા તથા શિક્ષણ સમતિના ચેરમેન પ્રકાશભાઈ ટાંક, એડવોકેટ નીગમભાઇ જેઠવા, એડવોકેટે એન્ડ નોટરી ઉષાબેન કે. કુસકીયા શિક્ષક મયુરભાઈ કુકડીયા એસ.બી.આઈ. બેન્કના જીગરભાઈ લાડવા, જેઠવા બિલ્ડર્સના હિરેનભાઈ જેઠવા તા.પં. સદસ્ય પરસોતમભાઇ વીસાવાડિયા, જી.ટી.પી.એલ. કેબલ કિશોરભાઈ ચૌહાણ, જીગ્નેશભાઈ ટાંક તેમજ વિસાવાડીયાના પ્રમુખ ભરતભાઈ વિસાવાડીયા, પુર્વ પ્રમુખ હરેશભાઇ ચીત્રોડા તથા પ્રવીણભાઈ વડુકર વિગેરેનું પુષ્પગુચ્છ તથા સાલથી સન્માન કરવામાં આવેલ તેમજ સમાજ શ્રેષ્ઠીઓએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહીત કરેલ એવું ઉષાબેન કે. કુસકીયા એડવોકેટે એન્ડ નોટરી ની યાદીમાં જણાવાયું છે.

Related posts

Leave a Comment